18 August, 2009

ગાંધીટોપી પર જય ભીમ / Jai Bhim on Gandhi Topi (cap) ( 6 Pictures & Text)


(1)

ગાંધી અને આંબેડકરમાં એક બાબત સરખી હતી : દલિતહિત. બંન્નેએ દલિત એજન્ડાને નૅશનલ એજન્ડા બનાવી અસ્પૃશ્યતાનિવારણ માટે પોતાની રીતે લડત ચલાવી. બંન્નેની લડત સામસામે આવતા તણખા પણ ઝર્યા. બંન્નેના ગયા પછી મોટ્ટાભાગના આંબેડકરવાદીઓએ અને ગાંધીવાદીઓએ આ તણખાઓને જ લડત માની લાધી. પરિણામ એ આવ્યું કે આંબેડકરવાદીઓ માટે ગાંધી તોછડા બન્યા અને ગાંધીવાદીઓ માટે આંબેડકર. આ તણખાને બાજુ પર મૂકીએ, ખરેખર મૂકવા જેવા છે, તો ગાંધી-આંબેડકરના સમન્વયથી ખોરંભાયેલા દલિતહિતને નવી દિશા મળવાની શકયતા બુટ્ટો ન કહેવાય. અલબત્ત, ગાંધી-આંબેડકરના સમન્વયનો વિચાર આજ ભલે બુટ્ટો લાગે, પણ આ દિશામાં પ્રયાસ થઇ રહ્યા છે. એમાંનું એક પગલું તારીખ ૧૭-૮-૨૦૦૯, મેલું પ્રથા નાબૂદી દિનના દિવસે નવસર્જને ભર્યું. ગાંધીઆશ્રમમાં નવસર્જને યોજેલા કાર્યક્રમમાં ગુજરાતના ૪૩ તાલુકામાંથી આવેલાં વાલ્મીકિસમુદાયનાં બાળકોએ જય ભીમ લખેલી ગાંધીટોપી પહેરી સમાજ અને શાળામાં જ્ઞાતિને લઇને થતા કડવા અનુભવોને જયુરી સમક્ષ રજૂ કર્યા. તેમના કડવા અનુભવો નીચેની તસ્વીરોમાં પણ વ્યકત થયા છે. વળી, ગાંધી-આંબેડકરની વિચારધારાથી અજાણ આ બાળકોએ પહેરેલી જય ભીમ લખેલી ગાંધીટોપી પર મોટેરાઓના વિચાર પણ પરખાયા વિના રહેતા નથી.

Jury Members : 1. Justice R. A. Mehta – Former Acting Chief Justice of Gujarat 2. Ms. Kmalaben Gurjar – Honorable Member of National Commission for Safai Karmcharies 3. Ishwarbhai Patel – Former Member of National Commission for Safai Karmcharies 4. Martin Macwan – Founder of Navsarjan 5. Ms. Mari Thekakara – Writer and JournalistProf. 6. Ghanshyam Shah – Political Scientist
(The rest pictures are below)
2


4

5

6