01 May, 2010

પાછળ પડી ગયેલું વ્યવસાયનું કેન્દ્રીકરણ / A Working Female Nomad (7 Pictures & Text)

1

2

3

4

5

6

7

એકકેન્દ્રી સત્તા ગઇ, પણ વ્યવસાયનું કેન્દ્રીકરણ તો રહ્યું. આ કેન્દ્રીકરણ આજે કેટલાક ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં રમવા લાગ્યું છે, પહેલાં ચોક્કસ વ્યવસાયનું કેન્દ્રીકરણ ચોક્કસ જ્ઞાતિઓના હાથમાં હતું, કેટલીક જ્ઞાતિઓના હાથમાં બળપૂર્વક કે છળપૂર્વક અમુક વ્યવસાયનું કેન્દ્રીકરણ મૂકી દેવામાં આવ્યું હતું. પરિણામ એ આવ્યું કે સતત બદલાતા વિશ્વમાં બળપૂર્વક કે છળપૂર્વકના કેન્દ્રીકરણમાં સપડાયેલી જ્ઞાતિઓના જીવતરમાં ઝાઝા ફેરફાર આવ્યા નહિ. ૪૦ લાખથી પણ વધુ વસ્તી ધરાવતી ગુજરાતની ૪૦ વિચરતી ને વિમુકત જાતિને (સરકારી યાદી મુજબ ૨૮ વિચરતી જાતિ, ૧૨ વિમુકત જાતિ) વ્યવસાયના કેન્દ્રીકરણનો ભોગ વધારે બનવું પડ્યું છે, વર્તમાન સમયમાં તેમની સ્થિતિ ઘણી કપરી, કયારેક તો એવું બોલતા લાગે કે જન્મારો મળ્યો છે તો જીવી નાખીએ. કારણ કે પરંપરાગત વ્યવસાય સિવાય બીજો વ્યવસાય તેમને આવડે નહિ એટલે બદલાતા જગત સાથે તાલ મિલાવી શકે નહિ. વળી, વિચરતી ને વિમુકત જાતિમાં શિક્ષણનું પ્રમાણ પણ ર્સ્વિણમ ગુજરાતને શરમ આવે એવું.
વાંસવાદીબહેનની ઊપર્યુકત તસવીરોમાં કોઇકને હસ્તકલાની પૂર્ણ પ્રક્રિયાનો ઊમદા નમૂનો દોખાય, પણ આ હસ્તકલાની નીચે છે તો માત્ર ગરીબી. કારણ, વાંસના ટોપલા ખરીદનારા આજે કેટલા? કોઇ ખરીદે તો એમણે કહેલા ભાવ પ્રમાણે નાણાં આપનારાં કેટલા?

(થોડા સમય પહેલાં ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’માં કામ કરવા મળ્યું, તે સમય દરમિયાન લીધેલી તસવીરો.)

13 February, 2010

નિરમા ભગાવો / Mahua Farmers' Campaign Against Nirma Cement Company Plant (12 Pictures & Text)


 આંદોલનના આગેવાન ડો. કનુભાઇ કલસરિયા 
1

2

3

4

5

 ઉઘાડા પગ છોને રહ્યા, ચાલતા રહીશું
6

હસતાં હસતાં વેઠીશું દુઃખ, હારીશું નહિ
7

પ્રથમ પ્રદક્ષિણા સફળ
8

મશાલ-સરઘસ
9

10

ત્રણેક કિલોમીટરની કૂચ પછી મશાલ-સરઘસને પોલીસે રોકયું
11

કનુભાઇ સાથે પોલીસની દલીલ ને છેવટે બધાની બે કલાક માટે ધરપકડ
12

મહુવા-આંદોલન

૧૨, ફેબ્રુઆરી, ૨૦૧૦


કૂચનો સમય : સાંજે પાંચ વાગ્યે ને રાતે આઠ વાગ્યે મશાલ-સરઘસ

અંતર : દસ કિલોમીટર કરતાં વધારે



કૂચનો માર્ગ : નિરમાની ફેન્સગ ફરતે પ્રદક્ષિણા

22 December, 2009

15 December, 2009

ગળામાં લટકેલું પ્યોર સેકયુલરિઝમ (બે તસવીર)



એલિસ બ્રિજના વિકટોરિયા ગાર્ડનવાળા છેડાથી લાલ દરવાજા તરફના વળાંકવાળા રસ્તા પરની કીટલી પર કામ કરતા ૧૯ વર્ષને અડું અડું થતા આ છોકરાને શું કહીશું? હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી, કારણ કે ગરીબીને કોઇપણ ધર્મમાં વાંધો નથી આવતો, બસ સરકાર એનો રસ્તો ના રોકે એટલું જ એને જોવાનું હોય છે. ચાની ચૂસકી લેતાં સીધું જ છોકરાને પૂછ્યું, ‘આવી ચૅઇન (હિન્દુ, મુસ્લિમ, ખિ્રસ્તીનાં ધાર્મિક પ્રતીકોવાળી) કેમ પહેરી છે?’ એકદમ હળવાશથી, ‘લારી પર ઘણીબધી ચૅઇન જોઇ, એમાંથી આ બહુ ગમી ગઇ એટલે પૈસા આપીને પહેરી લીઘી.’ જવાબ ગમી ગયો એટલે બીજું કંઇ પૂછ્યું નહિ. પછી એ એની મસ્તીમાં કામ કરવા લાગ્યો, ને હું આદર્શવાળા વિચારોમાં ખોવાઇ ગયો.

30 October, 2009

Liquor & Family



સાબરકાંઠા જિલ્લાના વડાલી ગામમાંથી પસાર થતા નૅશનલ હાઇ-વેની ફૂટપાથ. ફૂટપાથ પર એક ગ્રામીણ પરિવાર. પરિવારમાં પાંચ છોકરાં ને પતિ-પત્ની. સમય રાત્રિના ૭:૩૦ વાગ્યાનો. આ પરિવાર છેલ્લા ત્રણ કલાકથી કબોસણી ગામે જવા માટે બેઠો છે. આ પરિવાર કોઇ વાહનની વાટ નથી જોતો, પણ વાટ જુએ છે, તો બસ ચિક્કાર દારૂ પીને લુડકી ગયેલા પતિ-પિતાને હોશમાં આવવાની. હોશમાં આવ્યા પછી વાહન મળશે કે નહ એ ચતા તો વધારાની, કારણ કે ૭:૩૦ વાગ્યા પછી વડાલીથી કબોસણી માટે વાહન મળવું બિલકુલ અઘરું. સારું છે કે ગુજરાતમાં દારૂબંધી છે એટલે આવી તસવીર પાડવાનો કુ-સમય કયારેક જ આવે છે.

18 August, 2009

ગાંધીટોપી પર જય ભીમ / Jai Bhim on Gandhi Topi (cap) ( 6 Pictures & Text)


(1)

ગાંધી અને આંબેડકરમાં એક બાબત સરખી હતી : દલિતહિત. બંન્નેએ દલિત એજન્ડાને નૅશનલ એજન્ડા બનાવી અસ્પૃશ્યતાનિવારણ માટે પોતાની રીતે લડત ચલાવી. બંન્નેની લડત સામસામે આવતા તણખા પણ ઝર્યા. બંન્નેના ગયા પછી મોટ્ટાભાગના આંબેડકરવાદીઓએ અને ગાંધીવાદીઓએ આ તણખાઓને જ લડત માની લાધી. પરિણામ એ આવ્યું કે આંબેડકરવાદીઓ માટે ગાંધી તોછડા બન્યા અને ગાંધીવાદીઓ માટે આંબેડકર. આ તણખાને બાજુ પર મૂકીએ, ખરેખર મૂકવા જેવા છે, તો ગાંધી-આંબેડકરના સમન્વયથી ખોરંભાયેલા દલિતહિતને નવી દિશા મળવાની શકયતા બુટ્ટો ન કહેવાય. અલબત્ત, ગાંધી-આંબેડકરના સમન્વયનો વિચાર આજ ભલે બુટ્ટો લાગે, પણ આ દિશામાં પ્રયાસ થઇ રહ્યા છે. એમાંનું એક પગલું તારીખ ૧૭-૮-૨૦૦૯, મેલું પ્રથા નાબૂદી દિનના દિવસે નવસર્જને ભર્યું. ગાંધીઆશ્રમમાં નવસર્જને યોજેલા કાર્યક્રમમાં ગુજરાતના ૪૩ તાલુકામાંથી આવેલાં વાલ્મીકિસમુદાયનાં બાળકોએ જય ભીમ લખેલી ગાંધીટોપી પહેરી સમાજ અને શાળામાં જ્ઞાતિને લઇને થતા કડવા અનુભવોને જયુરી સમક્ષ રજૂ કર્યા. તેમના કડવા અનુભવો નીચેની તસ્વીરોમાં પણ વ્યકત થયા છે. વળી, ગાંધી-આંબેડકરની વિચારધારાથી અજાણ આ બાળકોએ પહેરેલી જય ભીમ લખેલી ગાંધીટોપી પર મોટેરાઓના વિચાર પણ પરખાયા વિના રહેતા નથી.

Jury Members : 1. Justice R. A. Mehta – Former Acting Chief Justice of Gujarat 2. Ms. Kmalaben Gurjar – Honorable Member of National Commission for Safai Karmcharies 3. Ishwarbhai Patel – Former Member of National Commission for Safai Karmcharies 4. Martin Macwan – Founder of Navsarjan 5. Ms. Mari Thekakara – Writer and JournalistProf. 6. Ghanshyam Shah – Political Scientist
(The rest pictures are below)
2


4

5

6

25 July, 2009

ગાંધીના અપમાનને સાંખી લેતા ગાંધીમૂલ્યરખેવાળો / (Hooch Tragedy)


લઠ્ઠાકાંડે ફરી એકવાર છડેચોક સાબિત કરી દીધું, કે ગુજરાતમાં સરકાર અને ગાંધીમૂલ્યરખેવાળો નિષ્ફળ ગયાં છે. સરકારને કંઇ કહેવાપણું નથી, મદગ્રસ્તને તો કયાં કશું સંભળાય છે? અને ગાંધીમૂલ્યરખેવાળોની નિષ્ફળતાની હવે ટેવ પડી ગઇ છે. અલબત્ત, ટેવમુકિતની આશા હજી છેક ઠગારી નીવડી નથી, છતાં ગાંધીમૂલ્યોરખેવાળોની લાંંબાગાળાની ચુપ્પી, વિશેષ તો ગૂજરાત વિદ્યાપીઠની, અકળાવનારી રહી. આ અકળામણનાં બે કારણ ઃ એક, ગુજરાતમાં દારૂબંધી જેવું લાગતું નથી, મહાત્મા ગાંધીના આ અપમાનને ગાંધીમૂલ્યરખેવાળોએ સાંખી લીધું. બે, ડાૅ. આંબેડકરે પણ સ્વીકાર્યું હતું કે, , ‘after all the untouchables, according to all of us, were the nearest and dearest to him (Gandhi).’ {Rajya Sabha Debates, 6 September, 1954 (Courtesy : Manu, Gandhi and Ambedkar and Other Essays, 1995 by Madhu Limaye, P. 19)} લઠ્ઠાકાંડમાં મરનારાઓમાં ગાંધીના nearest and dearest દલિતોની સંખ્યાનું પ્રમાણ ખાસ્સું, મહાત્મા ગાંધીના આ અપમાનને પણ ગાંધીમૂલ્યરખેવાળોએ સાંખી લીધું.


સ્હેજ પોરો ખાવા જેટલું સુખ એટલું કે તા. ૨૪-૭-૨૦૦૯ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે મજૂર ગામના ડાૅ. આંબેડકર ચોક, ત્રણ રસ્તા પર પાંખી હાજરીમાં ગૂજરાત વિદ્યાપીઠે લઠ્ઠાકાંડમાં ભોગ બનેલાં કુટુંબોને દિલાસો આપવા પ્રાર્થનાસભા રાખી. ગૂજરાત વિદ્યાપીઠ મોડી મોડી કેમ જાગી? જવાબમાં ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર સુદર્શન આયંગારે શબ્દે શબ્દે ભાર મૂકતાં જણાવ્યું કે, ‘એવું નથી, અમે કોઇના પર કમ્પલસન નથી મૂકવા માંગતા, જેને સંવેદના થાય તે આમાં જોડાય.’ ગૂજરાત વિદ્યાપીઠની હવે પછીની ભૂમિકા શું રહેશે? ‘આ ધીરજપૂર્વકનું, લાંબાગાળાનું કામ છે જેને નિયતપૂર્વક, સાતત્યપૂર્વક કરવાની નીતિ છે. એક વાકયમાં કહેવું હોય તો જે-તે વિસ્તારોનું ચયન કરી તે વિસ્તારમાં દારૂનું વ્યસન કેવી રીતે ઘટાડવું તે.’ આશા રાખીએ કે ગૂજરાત વિદ્યાપીઠ તેની ભૂમિકામાં ખરી ઉતરે. સાથે સાથે એટલું ઊમેરણ કરી લઇએ કે ઊપરની તસવીરમાં જે ત્રણ બાળકો દેખાય છે તેમાંથી વિશાલે આસમાની શર્ટ પહેર્યો છે. તેની ઉંમર બે વર્ષની. માતાપિતાનો એકનો એક દીકરો. પિતા કાન્તિભાઇ સોમાભાઇ આયર લઠ્ઠાકાંડમાં માૃત્યુ પામ્યા. કાન્તિભાઇ સાડીઓ પર રંગકામ કરતા. વિધવા મા કેવી રીતે વિશાલને ઉછેરશે? કેવી રીતે સારું ભણાવશે? તસવીરમાં વચ્ચે કાજલ છે, ઉંમર ત્રણ વર્ષ, અને જમણી બાજુ ભાવિકા, ઉંમર પાંચ વર્ષ. બંને પુરુષોત્તમભાઇ જયંતીભાઇ રહેવરની દીકરી. કડિયાકામ અને છૂટક મજૂરી કરતા પુરુષોત્તમભાઇએ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યો. વિધવા મા કાજલ અને ભાવિકાને કેવી રીતે ઉછેરશે? કેવી રીતે સારું ભણાવશે? આ બંને પ્રશ્નો લઠ્ઠાકાંડનો ભોગ બનેલાં મોટાભાગનાં કુટુંબોને લાગુ પડે છે. ગૂજરાત વિદ્યાપીઠ આવાં કુટુંબોનું ચયન કરી તે કુટુંબોનાં બાળકો, તરુણોના શિક્ષણની જવાબદારી ઊપાડી લે તો ગાંધીમૂલ્ય તો જળવાશે, સાથે સાથે મોટાભાગના દલિતોમાં જે બેફામ ગાંધીવિરોધ છે એમાં કંઇક અંશે (વિશેષ તો જે-તે વિસ્તારના બધા નહિ તો કેટલાક દલિતોમાં) હકારાત્મક ફેર પડશે એવી અપેક્ષા વધારે પડતી નહિ કહેવાય.